જય શ્રી માં ઉમિયા,
સહર્ષ ખુશાલી સાથે જણાવાનું કે આપણા કુળદેવી શ્રી ઉમિયા માતાજી ની અસીમ કૃપા અને આપણા સમાજનાં શુભ ચિંતક માનનીય શ્રી પુરુષોતમભાઈ રૂપાલા સાહેબ, મુખ્ય દાતાશ્રી ર્ડો. જગદીશભાઈ જીણાભાઈ કણસાગરા, દ્વિતીય દાતાશ્રી વજુભાઈ બચુભાઈ ગોળ, સમાજના આગેવાનો, દિલેર દાતાશ્રીઓ અને કાર્યકર મિત્રોના સાથ અને સહકારથી અમદાવાદમાં ઝડપથી વિકસી રહેલા બાપુનગર એટલે કે કાઠીયાવાડીઓથી ધબકતી ધરતી ઉપર અમરેલી બાવન ગામના નેજા હેઠળ આપણાં સમાજનું નિર્માણ કરવામાં આવેલ છે.
તા. 24-3-2013 ના રોજ સમાજનું વિધીવત ઉદ્દઘાટન શ્રી પુરુષોતમભાઈ રૂપાલા સાહેબના વરદ્દ હસ્તે તથા સમગ્ર ભારતમાં અને વિદેશમાં વસતા જ્ઞાતિજનોની હાજરીમાં કરવામાં આવ્યું.